શુ છે ગણેશ ચતુર્થીના વ્રતનુ મહત્વ? સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા કેવી રીતે કરવુ જોઈએ વ્રત

વ્રત ગણેશ ચતુર્થી નું આ વ્રત “ભાદરવા સુદ ચોથ” ના રોજ કરવામાં આવે છે. આ વૃત લોકો સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સંતાન પ્રાપ્તિ માટે કરે છે. આ માટે તમારે સવારે સ્નાન કરી પંચ ધાતુની ગણપતિની મૂર્તિ બનાવી ને તેની સ્થાપના અને પૂજા કરવાની છે. અને આ દિવસે ઉપવાસ કરવો. પણ હા વ્રત કરનારે રાત્રે ચંદ્રદર્શન કરવાથી કલંકલાગે છે. શ્રીકૃષ્ણ ભગવાને પોતાના પર લાગેલું કલંક દૂર કરવા માટે આ વ્રત કરેલું હતું. અને વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી જોઈએ.

વ્રત ની કથા એક સમયે ગણપતિ જી રિદ્ધિ સિદ્ધિ સાથે આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક થી પસાર થતાં ચંદ્રએ ગણપતિને જોયા. અને ગણપતિનું મુખ તથા પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા તથા તેની મશ્કરી કરવા લાગ્યા. આવા વર્તન થી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા જેથી તેને શ્રાપ આપતા બોલ્યા,ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નથી પરંતુ તું આ રૂપ નું અભિમાનમાં કરે છે અને તે આજે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું જોશે પણ નહીં તથા અને જો કોઈ ભૂલેચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવી પડશે. આવા શ્રાપ ના કારણે ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. અને તે બીકના માર્યા કમળમાં છૂપાઈ ગયા. જેથી ચારેકોર છવાતા હાહાકાર મચી ગયો. આ શ્રાપ નું નિવારણ માટે સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે આયા. બ્રહ્માજી એ કહ્યું કે ગણપતિનો શ્રાપ કદિ મિથ્યા જતો નથી. તો પણ હું તમને એના નિવારણનો ઉપય બતાવું છું. સાંભળો થોડા દિવસ બાદ ભાદરવો મહિનો આવશે. એ ભાદરવા મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ ગણપતિની કોઈપણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પડશે. તુયર બાદ વિધિવત તેની પૂજા કરી નૈવેધમાં લાડુ ધરાવા પડશે અને સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી પડશે. અને આ દિવસે બ્રાહ્મણોને જમાડી ને દાન-દક્ષિણા પણ આપવાની છે જેથી ગણપતિ ના ચંદ્રને આપેલા શ્રાપમાંથી મુક્તિ મળે છે.

હવે આ સાંભળી ભાદવવો મહિના બેસતા જ ચંદ્ર જી એ ગણપતિની સ્થાપના કરી અને ગણશ ચોથનું વ્રત કરવા માંડ્યું. બાદમાં તેને વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગણેશજી મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ક્ષમા કરજો. હવે આવી ભૂલ હું બીજી વાર નહીં કરું. પ્રભુ તમે દયાળું છો, કૃપા કીને મને શ્રાપમાંથી મુક્તિ આપો. ચંદ્ર ની આ ભક્તિ જોઈને ગણપતિ ખૂથ થયા અને તેને દર્શન આપી બોલ્યો, ચંદ્ર તુ સંપૂર્ણ શ્રાપમૂક્ત તો નહીં થઈ શકે પણ હું તારા વ્રતથી ખૂશ થઈ શ્રાપ થોડો હળવો કરી આપું છું. જો કોઈપણ માણસ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દિવસે મારા દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં નડે. પણ જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. અને જો આ કલંકને દૂર કરવા માટે કોઈ માણસ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ. તેથી કહેવાય છે કે હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.