સુખ કરતા દુઃખ હરતા દેવ છે. ત્રિકોણબાગ કા રાજા

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી “ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ” ના પ્રસંશક છે. દરેક વર્ષે મહોત્સવ દરમિયાન તેમની સહપરિવાર અવશ્ય હાજીરી હોય છે, ગણપતિ વંદના-સમૂહ આરતીમાં ભાગ લઈને શહેરની ધર્મપ્રિય જનતાને પ્રેરણા આપે છે. તેમણે ગયા વર્ષે-2017 ના ગણપતિ ઉત્સવ દરમિયાન ખાસ પત્ર પાઠવીને શ્રદ્ધાળુઓને સાર્થકતાની અનુભૂતિ કરવા ત્રિકોણબાગ કા રાજાના શરણોમાં જવા અનુરોધ કર્યો હતો.